Skip to main content

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

 

અમરેલી જિલ્લો

➤સ્થાપના :- ૧૯૬૦
અમરેલી જિલ્લો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે.
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે.
સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા ભારત દેશમાં મશહુર છે 
આ જિલ્‍લામાં પીપાવાવ બંદર આવેલું છે. રાજુલામાં ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે.
રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. 
➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ )
➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી



➤ગામડાંઓ :- ૭૮૪
આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે:
  • અમરેલી
  • ધારી
  • બાબરા
  • બગસરા
  • જાફરાબાદ
  • ખાંભા
  • કુંકાવાવ
  • લાઠી
  • લીલીયા
  • રાજુલા
  • સાવરકુંડલા


અમરેલી  અરબસાગર ના કિનારે આવેલ છે.
➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે.

અમરેલી જિલ્લાની મહત્વની વિગત

બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર
ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ
ઉધોગ:- ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ,સિમેન્ટ ઉધોગ,તેલની મિલ અને હીરા ઉધોગ.
પાક:- જુવાર,કપાસ, કઠોળ,ઘઉં ,બાજરી, મગફળી,શેરડી અને તલ
પર્વતો:- ગીરની ટેકરીઓ, સરકલા
જોવાલાયક સ્થળો : જૈન મંદિરો (પાલીતાણા )ગોપનાથ મહાદેવ (પીથલપુર)કાળિયાર હરણ નું અભયારણ્ય(વેળાવદર )સ્વામિનારાયણ નું મંદિર (ગઢડા ),અમરાબાપુની જગ્યા (પાળિયાદ ), લાઠીનું હનુમાન મંદિર,લાઠીનો રાજમહેલ .

 મહત્વના પ્રશ્નો

➤ઈ ગ્રામ, વિશ્વ ગ્રામ યોજનાની શરૂઆત અમરેલી જીલ્લામાંથી થઇ હતી.
➤ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય અમરેલી જિલ્લામાં શરૂઆત થઇ હતી.
➤કેન્દ્ર સરકારની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટીટયુટ અહીં આવેલી છે .
➤લોકભારતી સંસ્થા સણોસરામાં આવેલી છે.
➤લાઠી ગુજરાતી કવિ કલાપીનું જન્મસ્થાન છે.
➤અમરેલી વેપારકેન્દ્ર છે.
➤તલગાજરડા પૂ.મોરારિબાપુનું વતન પણ અહીં છે.
➤સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણની શરૂઆત અમરેલીથી કરી હતી.


Popular posts from this blog

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...