Skip to main content

કાળો ગુરુવાર: પૂર્વ CM રૂપાણી સહિત ૨૪૮ લોકો કાળનો કોળિયો બન્યા, એકનો ચમત્કારિક બચાવ.

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

 

સુરત જિલ્લો

સ્થાપના :- ૧૯૬૦
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે.
૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે.
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.
સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે.
સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે
સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે .(ડાયમંડ સિટી)
સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે.
ગુજરાતમાં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે. 




સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ.
સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું.
ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી .
ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.





સુરત જિલ્લાની આજુબાજુ ભરૂચ,નવસારી, ડાંગ,ભરૂચ અને નર્મદા જીલ્લાની સરહદો આવેલી છે.
પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે.
આ જિલ્લામાં કુલ ૯ તાલુકાઓ આવેલા છે.
ગામડાંઓ :- ૧૨૮૦
  •  બારડોલી
  •  કામરેજ 
  • મહુવા
  •  ઓલપાડ
  •  માંડવી (સુરત જિલ્લો)
  • પલસાણા 
  • માંગરોળ
  •  ઉમરપાડા 
  •  ચોર્યાસી

  સુરત જિલ્લાની મહત્વની વિગત


પાક     👉ઘઉં,જુવાર,શેરડી,તુવેર,કપાસ,ડાંગર,કઠોળઅને ફળો
ઉદ્યોગ 👉હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ,ટેક્સટાઈલ ઉદ્યોગ
ખનીજ 👉 ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઈટ, લાઈમ સ્ટોન
નદીઓ 👉તાપી
બંદરો    👉 મગદલ્લા ,સુરત,હજીરા,ડુમ્મસ
અગત્યના સ્થળો    👉 બારડોલી ,ડુમસ ,હજીરા ઉકાઈ ઉતરાણ ,ઉધાન
જોવાલાયક સ્થળો 👉 સુરત હીરા ઉદ્યોગ ,કાપડ ઉદ્યોગ ,જરી ઉદ્યોગ, ડુમ્મસ .

 મહત્વના પ્રશ્નો

અંગ્રેજ સરકારની પહેલી વેપારી કોઠી ની સ્થાપના સુરતમાં કરવામાં આવી હતી.
સુરત તાપી કિનારે વસેલું શહેર છે. સુરત હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને જરી ઉદ્યોગ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
સુરત ગુજરાતનું અગ્રગણ્ય વેપારી મથક અને ઓદ્યોગિક શહેર છે.
ઉધનામાં રેયોન, જરી,અરીસા,ઘડિયાળ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યા છે.
એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે.
સુરત જીલ્લામાં દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.
સુરતમાં સૌપ્રથમ પ્લેટોરિયમની સ્થાપના થઇ હતી.
બંદર-એ- મુબારક તરીકે સુરત ઓળખાય છે.
સુરત જિલ્લામાં સૌથી વધુ સિંચાઈ નહેરો દ્વારા થાય છે.
 વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે.
સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. 
 સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર, અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.
 ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.

અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો

👉CLICK HERE

આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 

THANK YOU







Popular posts from this blog

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

  અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો  ગુજરાતના  સૌરાષ્ટ્ર  વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ  અમરેલી  શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર  ગુજરાત રાજ્યમાં  જ નહીં પણ આખા  ભારત  દેશમાં મશહુર છે  ➤ આ જિલ્‍લામાં  પીપાવાવ  બંદર આવેલું છે.  રાજુલામાં  ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો  વડોદરા  રાજ્યનો ભાગ હતો.  ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી    અરબસાગર ના કિનારે  આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...