Skip to main content

વડોદરા જિલ્લાની બધી માહિતી | All information of Vadodara (Baroda)


 

👉વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે.

👉વડોદરાનું જૂનું નામ વટપદ્ર છે

👉વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું છે

👉અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે

👉આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું

👉ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

👉ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે.

👉વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.




ઇતિહાસ

👉વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ઇસ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે.

👉ઇ. સ. ૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. 

👉ઇ. સ. ૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. 

👉ઇ. સ. ૧૮૦૨માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.

👉સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. 

👉ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.


vadodara] - ઇતિહાસ / સયાજીરાવ ગાયકવાડે પણ ઠગ ઓફ ઇંગ્લિસ્તાનનો શિકાર બની  રૂ.69 લાખ ગુમાવ્યા હતા - Vadodaranews - Duta

વડોદરા જિલ્લાની મહત્વની માહિતી

⇒વડોદરા, અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્લી રેલમાર્ગ પર આવેલ શહેર છે

 ⇒વિશ્વામિત્રી નદી ને કાંઠે વસેલું આ શહેર, વડોદરા જિલ્લાનું તેમ જ વડોદરા તાલુકાનું વહીવટી મથક છે .

 ⇒વડોદરા જિલ્લાની ઉત્તરે પંચમહાલ તથા દાહોદ,

⇒દક્ષિણે ભરૂચ તથા નર્મદા

⇒પશ્ચિમે આણંદ તથા ખેડા જિલ્લાઓ આવેલા છે. 

⇒પૂર્વમાં મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.

⇒નવો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જીલ્લાની પૂર્વમાં અસ્તિત્વમાં આવ્યો છે.

⇒વસ્તીને આધારે વડોદરા, અમદાવાદ અને સુરત પછી ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે.








વડોદરા જિલ્લામાં 8  તાલુકા છે.

👉વડોદરા    👉ડભોઇ         👉કરજણ        👉પાદરા  

 👉સાવલી    👉શિનોર       👉વાઘોડિયા     👉ડેસર

૫૪૦  ગ્રામ પંચાયત


વાહન વ્યવહાર

👉હવાઇ માર્ગ વડોદરા હવાઇ મથક મુંબઇ, દિલ્લી, બેંગલોર અને અમદાવાદ સાથે હવાઇ માર્ગે જોડાયેલ છે.

👉રેલ માર્ગ વડોદરા, પશ્ચિમ રેલ્વેનું સૌથી મહત્વપૂર્ણ જંકશન છે. 

👉ધોરી માર્ગ ભારતના સૌથી વ્યસ્ત મનાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ અને દ્રુતગતિ માર્ગ નં.૧ પર આ શહેર વસેલું છે

GENERAL KNOWLEDGE

પાક:- કપાસ,ડાંગર,જુવાર,મગફળી, ઘઉં,બાજરી

ઉદ્યોગ:- કાપડ, રસાયણ,દવાઓ,કાચ,એન્જીનીયરીંગ,રાસાયણિક ખાતર,મત્સ્ય,ડેરી ઉદ્યોગ અને પ્રેટ્રોકેમિકલ્સ

ખનીજ:- ખનીજતેલ, કોસ્તિક સોડા ખાર,આરસ

નદીઓ:- વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હીરહા,ભૂખી, ભારજ ,ગોમા,

અગત્યના સ્થળો : છોટાઉદેપુર,ડભોઇ ,સંખેડા ,બાવજા ,વાઘોડિયા ,પાદરા ,કરજણ

જોવાલાયક સ્થળો : લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા ) હીરા ભાગોળની વાવ,સુરસાગર તળાવ,આજવા તળાવ, મોહમદ તળાવ,પ્રતાપ વિલાસ પેલેસ, કિર્તીમંદિર,કમાટીબાગ ,કાયાવરોહણ

મહત્વની માહિતી

👉વડોદરા પેશ્વા ગાયકવાડ ની રાજધાની હતી.

👉વડોદરા શહેર વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું શહેર છે.

👉વડોદરા ‘ મહેલોના શહેર’ તરીકે ઓળખાય છે.

👉વડોદરા એમ.એસ.યુનિવર્સિટી તથા સરકારી મેડીકલ કોલેજ આવેલી છે.

👉ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઈબ્રેરી,વડોદરામાં આવેલી છે.

👉ગુજરાત ઈકોલોજીકલ કમીશન વડોદરામાં આવેલ છે.

👉રેલ્વે ટ્રેઈનીંગ કોલેજ વડોદરામાં આવેલી છે.

👉લાલ રંગનો ડોલોમાઈટ આરસ છુછાપુરમાં આવેલ છે.

👉ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરામાં કાર્યરત છે.

👉શૈક્ષણિક પ્રવૃતિમાં વડોદરા અગ્રેસર રહ્યું છે.

👉વડોદરા રાજ્ય માં સયાજીરાવ ગાયકવાડે ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કર્યું હતું.

👉વડોદરામાં આઈ.પી.સી.એલ રીફાઈનરી (પેટ્રોલ બનાવટો) આવેલી છે.

👉વડોદરામાં બાજવા ખાતે જી.એસ.એફ.સી. ખાતરનું મોટામાં મોટું કારખાનું આવેલું છે.

👉સારાભાઇ કેમિકલ્સ (દવાઓ અને મશીનરી બનાવવાનું કારખાનું) તથા એલેમ્બિક (દવાઓ બનાવવાનું કારખાનું) આવેલું છે.

👉ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કર્યું હતું.


અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો


👉CLICK HERE


આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 


THANK YOU




Popular posts from this blog

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

  અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો  ગુજરાતના  સૌરાષ્ટ્ર  વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ  અમરેલી  શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર  ગુજરાત રાજ્યમાં  જ નહીં પણ આખા  ભારત  દેશમાં મશહુર છે  ➤ આ જિલ્‍લામાં  પીપાવાવ  બંદર આવેલું છે.  રાજુલામાં  ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો  વડોદરા  રાજ્યનો ભાગ હતો.  ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી    અરબસાગર ના કિનારે  આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...