Skip to main content

ભાવનગર જિલ્લાનાં જોવાલાયક સ્થળો | Famous places of bhavanagar

પાલીતાણાના જૈન મંદિરો

⮞પાલીતાણાના જૈન મંદિરો  એ  ગુજરાતના   ભાવનગર જિલ્લામાં  આવેલ  પાલીતાણા  શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે. 
આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે તેમનો સમાવેશ મુખ્ય ૯ સંકુલોમાં થયેલો છે
મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર  ઋષભદેવને  સમર્પિત છે
મુખ્ય મંદિર સુધી પહોંચવા ૩૫૦૦ પગથિયાં ચડવા પડે છે.
હિંગરાળ અંબિકાદેવી કે હિંગળાજ માતા આ ટેકરીની અધિષ્ઠાતા દેવી મનાય છે.
આ ટેકરીઓ ઉપર અંગાર પીર નામના એક મુસ્લિમ સંતની દરગાહ પણ છે. કહેવાય છે કે ૧૪મી સદીના શરૂઆતના મુસ્લીમ આક્રમણ સમયે તેમણે આ મંદિરોની રક્ષા કરી હતી હતી.
શત્રુંજય ટેકરીઓની દક્ષિણે  ખંભાતનો અખાત  આવેલો છે અને ઉત્તર તરફ  ભાવનગર  શહેર આવેલું છે અને વચ્ચે  શેત્રુંજી નદી  વહે છે.
પાલીતાણાના મંદિરો ૧૧મી સદીથી શરૂ કરીને ૯૦૦ વર્ષના સમયગાળામાં બંધાયા છે.







શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક

નિષ્કલંક મહાદેવ  મંદિર ભાવનગર જિલ્લાના  કોળિયાક  ખાતે આવેલું શિવ મંદિર છે.
હિંદુ  ધર્મની માન્યતા અનુસાર  મહાભારતના  યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને  કોળિયાક  ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી
દર વર્ષે  શ્રાવણ  વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. આ દિવસે મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.
  

   શ્રી નિષ્કલંક મહાદેવ -- કોળિયાક બીચ (ભાવનગર)

ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)

ખોડિયાર મંદિર - રાજપરા   ભારત  દેશનાં પશ્ચિમે આવેલા  ગુજરાત  રાજ્યનાં  ભાવનગર જિલ્લા  નાં  સિહોર તાલુકાનાં   રાજપરા  ગામે આવેલ છે.
મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે.
આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે.
રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું.
 ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.



શુ તમે જાણો છો માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું? આજે વાંચો અહીંયા -  GujjuRocks | DailyHunt

અલંગ

અલંગ  ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના  ભાવનગર જિલ્લાના   તળાજા તાલુકામાં   આવેલું નગર છે.
અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે.
અંગ્રેજી  ભાષામાં  અલંગ ને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. 
એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે.






વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન  એ  ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ગુજરાત રાજ્યમાં  આવેલ  ભાવનગર જિલ્લાના   વલ્લભીપુર તાલુકાના   વેળાવદર  ગામની પાસે આવેલું છે.
ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન  સૌરાષ્ટ્ર  પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે
આ  ભાલ વિસ્તારમાં  આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે
ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે
  આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીડી" (ઘાસ ભૂમિ) હતી.  
આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.


વેળાવદર કાળીયાર નેશનલ પાર્ક | જીલ્લો ભાવનગર, ગુજરાત સરકાર | India

ગોપનાથ (તા. તળાજા)


ગોપનાથ  ગામ ભારતના  ગુજરાત  રાજ્યનાં  ભાવનગર જિલ્લામાં   તળાજા તાલુકામાં  દરિયા કિનારે આવેલું ગામ છે
ગોપનાથ ગામમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન બનાવેલું મનાતું ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
૧૯૮૧ના ઓગષ્ટ મહીનામાં મંદીરનું સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
ઇ.સ. ૧૯૭૫થી પહેલી દીવાદાંડીના બંધ થવા સાથે આ દીવાદાંડી નું કાર્ય શરૂ થયું. હાલમાં પણ કામ આપે છે.

ગોપનાથ (તા. તળાજા) - વિકિપીડિયા

હાથબ (તા.ભાવનગર)

ગુજરાત રાજ્યના   ભાવનગર જિલ્લામાં  આવેલા  ભાવનગર તાલુકા માં આવેલું એક ગામ છે
  ભાવનગરથી  ૩૦ કિલોમિટર દૂર આવેલું આ દરિયાઇ ગામ હવા ખાવાનું સ્થળ છે.
ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે
રાજાશાહી સમયમાં અહીં ભાવનગરના રાજવીએ સોનેરી રેતી વાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો જે હાથબ બંગલા  તરીકે ઓળખાય છે.
  ૧૯૮૫માં અહિંયા ગુજરાત રાજ્યનું પ્રથમ દરિયાઈ કાચબા ઊછેર કેંદ્ર  દીપકભાઈ પ્ર. મેહતાએ   ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું.

ઇકો ટુરિઝમ હાથબ બઁગલા ખાતે યોજાયેલ અલગ... - Eco-Tourism Hathab | Facebook

મહુવા

મહુવા અરબી સાગર ના ઉત્તર કિનારે દરિયા કાંઠે વસેલું શહેર છે
શહેરમાં  માલણ નદી  વહે છે
ડુંગળી માટે જાણીતા મહુવામાં ડિહાઇડ્રેશન-Dehydration ના કારખાના ઝડપભેર વિકસી રહ્યા છે
મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે


આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 


THANK YOU




    Popular posts from this blog

    surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

      સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

    અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

    ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...

    અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

      અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો  ગુજરાતના  સૌરાષ્ટ્ર  વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ  અમરેલી  શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર  ગુજરાત રાજ્યમાં  જ નહીં પણ આખા  ભારત  દેશમાં મશહુર છે  ➤ આ જિલ્‍લામાં  પીપાવાવ  બંદર આવેલું છે.  રાજુલામાં  ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો  વડોદરા  રાજ્યનો ભાગ હતો.  ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી    અરબસાગર ના કિનારે  આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...