અક્ષરધામ
👉અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે
👉અક્ષરધામની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે.
👉અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.
👉મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.
ગુજરાત વિધાનસભા
👉ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે.
👉ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.
👉વડોદરાની રાવપુરા બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ છે.
ઇન્ફોસિટી
👉ઇન્ફોસિટી, ગાંધીનગર એ ગાંધીનગરમાં આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક (STP) છે.
👉૧૯૮૬માં ભારતમાં વધતી જતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો, જે કારણે ગાંધીનગરમાં પણ આવા પાર્કની સ્થાપના થઇ હતી.
સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
👉આ બગીચો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરમાં સેક્ટર ૨૮ ખાતે આવેલો છે.
👉આ ઉદ્યાનમાં ફુલછોડ, વૃક્ષો તેમ જ લીલીછમ ચાદર બિછાવી હોય તેવી લોન ઉગાડવામાં આવેલી છે.
👉બાળકોને રમત અને મનોરંજન મળે તેવી અનેક સગવડો આ ઉદ્યાનમાં જોવા મળે છે
ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
👉ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કે જે ઇંદ્રોડા પાર્ક તરીકે પણ ઓળખાય છે.
👉ઘણી વખત તેને ઈંદ્રોડા ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉ભારતમાં આવેલું આ એક માત્ર ડાયનોસોર સંગ્રહાલય છે.
👉સાબરમતી નદીના કિનારે આવેલું આ અભયારણ્ય ૪૦૦ એકરમાં ફેલાયેલું છે.
👉અભયારણ્યના એક ભાગમાં ડાયનોસોર અને જીવાશ્મ ઉદ્યાન પણ વિકસાવવામાં આવ્યો છે.
👉આ ઉદ્યાનનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા થાય છે અને તે ભારતનો જ્યુરાસિક પાર્ક કહેવાય છે,
👉સંગ્રહેલ જીવાશ્મો જ્યુરાસિક યુગના પછીના એવા ક્રેટાસિયોસ યુગના છે, જે લગભગ ૬.૬ કરોડ વર્ષ જૂના છે.
વગેરે જેવા સ્થળો આવેલા છે.
0 Comments