Skip to main content

ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા (નામ) | Gujarati Grammar Sangya 2020

 સંજ્ઞા (નામ)
➤વ્યાકરણની પરિભાષામાં જે શબ્દ વ્યક્તિ , વસ્તુ , ગુણ , ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને ‘ નામ કહેવાય છે.
➤‘ સંજ્ઞા ’ તરીકે પણ ઓળખાવાય છે . 
➤ટૂંકમાં , પ્રાણીને , પદાર્થને , ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને ‘ નામ ‘ કહે છે . ‘ નામ ‘ નો પર્યાયવાચી શબ્દ ‘ સંજ્ઞા ‘ છે અને અંગ્રેજીમાં એને Noun કહે છે .

નામના મુખ્ય પાંચ પ્રકાર છે . .

( I ) સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક નામ

➤જે સંજ્ઞાઓ કોઈ એક ચોક્કસ વ્યક્તિ , પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તેને વ્યક્તિવાચક કે સંજ્ઞાવાચક નામ તરીકે ઓળખાવી શકાય .
➤કોઈ કે પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખવા જે ખાસ નામ અપાય છે , તેને વ્યકિતવાચક નામ કહે છે . 
➤જેમ કે – વડોદરા , નર્મદા , હિમાલય , ગિરનાર વગેરે , આ નામ આપણે આપણી ઇચ્છા પ્રમાણે આપ્યું હોય છે . એની પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી .


( 2 ) જાતિવાચક નામ :

➤નામ આખા વર્ગને તેમ જ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે .
દેશ , શહેર , પર્વત , વાદળ , મોર વગેરે જાતિવાચક નામ છે .

એક ઉદાહરણ લઈ

પ્રેમજીભાઈ અમારા આદર્શ શિક્ષક છે .
‘ પ્રેમજીભાઈ ‘ એ સંજ્ઞા કોઈ ચો પ્રય વ્યક્તિનો નિર્દેશ કરે છે જયારે ‘ શિક્ષક ‘ સંજ્ઞા એ શિક્ષણ આપનાર કોઈ પણ વ્યકિત ’ એટલે કે એ તા આખા વર્ગનું સૂચન કરે છે . 
‘ પ્રેમજીભાઈ ’ ‘ વ્યક્તિવાચક નામ ‘ છે જયારે શિક્ષક ’ એ જાતિવારકા નામ ’ છે .

( 3 ) સમૂહવાચક નામ :

વ્યક્તિ , પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખાવતી સંજ્ઞાઓને આપણે સમૂહવાચક નામ કે સંજ્ઞા તરીકે ઓળખી શકીએ .
સમૂહ એટલે સરખા ગુણોવાળી વ્યક્તિઓનું એકત્ર થવું 
કેટલાક નામ વ્યક્તિ , પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવા માટે વપરાય છે તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે .
ટુકડી , સમિતિ , ફોજ , કાફલો , ધણ , લુમ , વણજાર , ટોળું , મેદની વગેરે . આ નામ એવા છે જે પહેલી નજરે જાતિવાચક નામ જેવા લાગે છે પણ તેઓ વર્ગને નહીં , સમૂહને દર્શાવે છે .

ઉદાહરણ

હાથીઓનું ટોળું , ચાવીઓનું ઝૂમખું , માણસોનો સમૂહ..........

( 4 ) દ્રવ્યવાચક નામ :

ટૂંકમાં , ધાતુ , અનાજ કે દ્રવ્યરૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે . આ વસ્તુઓ જથ્થામાં દ્રવ્યરૂપે રહેલી છે .

( 5 ) ભાવવાચક નામ : 

ભાવવાચક નામ એટલે એવાં નામ જેના વડે ભાવ , ગુણ , ક્રિયા , સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય .
ઇન્દ્રિયોથી ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવા ગુણ કે ક્રિયાનાં નામ તે ભાવવાચક નામ છે , મુખોઈ , ભલાઈ , મીઠાશ , કાળાશ , સેવા , કામ , મદ , ઝણઝણાટ , રણકાર જેવી સંજ્ઞાઓ નક્કર પદાર્થ દર્શાવતી નથી પણ ભાવોને દર્શાવે છે . 
આ બધી સંજ્ઞાઓને રૂપ નથી , રંગ નથી , આકાર નથી , એમને આંગળી ચીંધીને બતાવી શકાતું નથી . આમ , ભાવોને દશવિતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

ઉદાહરણ

“ મુર્ખ ’ એ ગણે છે પણ ‘ મૂર્ખાઈ ” એ મૂર્ખ હોવાનો ભાવ છે . 







 







Popular posts from this blog

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...